શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્યુજર્સી મુકામે આવતીકાલ ૨૪ ફેબ્રુ રવિવારના રોજ ‘‘શાકોત્સવ'': પૂજય શાસ્ત્રીજી મહારાજની ૩૧મી પૂણ્યતિથિ નિમિતે ૧૨ કલાકની અખંડ ધૂન તથા ફ્રી ડેન્ટલ કેમ્પઃ ૨૫ થી ૨૭ ફેબ્રુ.દરમિયાન વચનામૃત વ્યાખ્યાન માળાનું આયોજનઃ તમામ કાર્યક્રમોનો લાભ લેવા પાઠવાયેલું આમંત્રણ
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ રાજકોટની બ્રાંચ અમેરિકાના ન્યુજર્સી રાજયના પરામસ શહેરના શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં આવતીકાલ ૨૪ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. તથા પૂજય શાસ્ત્રીજી મહારાજની ૩૧મી પૂણ્યતિથિ નિમિતે ૧૨ કલાકની અખંડ ધૂન તથા ફ્રી ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વચનામૃત દ્વિશતાબ્દિ અંતર્ગત ૨૫ થી ૨૭ ફેબ્રુ.૨૦૧૯ દરમિયાન વચનામૃત વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું છે. જેમાં સહુને પધારવા આમંત્રણ પાઠવાયુ છે.
કાર્યક્રમ અંતર્ગત બપોરે ૪-૩૦ કલાકે કિર્તન ભક્તિ, ૫ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ, ૫-૪૫ કલાકે કથા વાર્તા તથા ચર્ચા, ૬.૩૦ કલાકે આરતી અને પ્રાર્થના, ૭ વાગ્યે ભક્તિ મહિલા મંડળ, અને શાકોત્સવ ભોજન પ્રસાદનું આયોજન છે.
સવારે ૫ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી અખંડ ધૂન યોજાશે. બપોરે ૩-૩૦ થી સાંજે ૬-૩૦ દરમિયાન વિનામૂલ્યે ડેન્ટલ કેમ્પ યોજાશે તથા ૨૫ થી ૨૭ ફેબ્રુ દરમિયાન વચનામૃત વ્યાખ્યાન માળા યોજાશે તેવું શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ પરામસ વતી પૂજય આનંદ સ્વામીની યાદીમાં જણાવાયું છે.