એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th May 2019

''શ્રીમદ ભગવત ગીતા શ્લોક સ્પર્ધા'': યુ.એસ.ના હયુસ્ટનમાં ચિન્મય મિશનના ઉપક્રમે યોજાઇ ગયેલી સ્પર્ધાઃ ૪ થી ૧૮ વર્ષ વચ્ચેની વયના ૮૩ બાળકોએ ગીતાના શ્લોકોનું પઠન કરી દર્શકોના મન મોહી લીધા

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ચિન્મય મિશનના ઉપક્રમે ૫મે ૨૦૧૯ના રોજ ગીતા શ્લોકસ્પર્ધા યોજાઇ હતી.

પૂજ્ય ગુરૂદેવ સ્વામી ચિન્મયાનંદના જન્મ દિવસને અનુલક્ષીને યોજવામાં આવેલી આ સ્પર્ધામાં ૪ વર્ષથી ૧૮ વર્ષ સુધીની ઉંમરના ૮૩ બાળકોએ ભાગ લીધો હતો.

ભજન તથા આરતી સાથે શરૂ થયેલા પ્રોગ્રામમાં બ્રહ્મચારિણી શ્વેતા ચૈતન્યએ સહુનું સ્વાગત કર્યુ હતું. તથા ભગવત ગીતાનું મહત્વ સમજાવ્યું હતું.

બાલ વિહારના બાળકોએ શ્રીમદ ભગવત ગીતાના શ્લોકોના કરેલા સ્પષ્ટ ઉચ્ચારણોના આધારે તેમને ઉંમરના પ્રમાણે તથા અભ્યાસના ગ્રેડ પ્રમાણે જુદા જુદા ક્રમાંકે વિજેતા ઘોષિત કરાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(7:50 pm IST)