News of Monday, 27th January 2020
અમેરિકામાં ચિન્મય મિશન લોસ એંજલસના ઉપક્રમે 25 મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો : વેદિક મંત્રોચ્ચાર સાથે હવન કરાયો : સ્વામી ચિન્મયાનંદ તથા શંકરાચાર્યનું પૂજન કરાયું
લોસ એંજલસ : અમેરિકામાં ચિન્મય મિશન લોસ એંજલસના ઉપક્રમે તાજેતરમાં 18 જાન્યુઆરીના રોજ પ્રાચીન પરંપરા મુજબ 25 મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો જે અંતર્ગત સ્વામી ચિન્મયાનંદ તથા શંકરાચાર્યનું પૂજન કરાયું હતું.
સવારે 7 વાગ્યાથી શરૂ કરાયેલી ઉજવણીમાં સૌપ્રથમ ગણેશ પૂજા કરાઈ હતી.બાદમાં સુદર્શન હોમ તથા રામ બીજા હોમ કરાયા હતા જેના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.સનાતન ધર્મ ટેમ્પલના પંડિત શિવરામક્રિષ્ણનએ વેદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવી સહુને અભિભૂત કરી દીધા હતા.
(8:02 pm IST)