" નવિન ભારત " : અમેરીકાના લોસ એન્જલસમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાજી નું પ્રવચન યોજાયું
લોસ એંજલ્સ : ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રીમાન સંબિત પાત્રાજીએ તા.૧૯ મી નવેમ્બર ના રોજ કેલિફોર્નિયા ના એનાહેમ સ્થિત શ્રી ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર) માં ઓફ બી. જે. પી. ના ચેપ્ટર આયોજીત '' નવું ભારત " એ વિષય ઉપર મનનીય પ્રવચન આપ્યુ. આ પ્રવચન માં સમાજની આગેવાન સંસ્થાના પ્રતિનિધિઓ તથા પાર્ટીના કાર્યકરોથી ભરચક હોલમાં સૌ પ્રસન્ન ચિત્તથી ડૉ.પાત્રાજીને સાંભળવા ભેગા થયા હતા... સંસ્થાના મંત્રીશ્રી વિજય પાટીલે સૌને આવકાર અપ્યો હતો. શ્રી પી.કે. નાયક તથા અન્ય સભ્યો દ્વારા ડૉ.પાત્રાજીનું સ્વાગત્ત કરવામાં આવ્યું. તેમજ ગાયત્રી મંદિરના મહિલા અગ્રગણ્ય શ્રીમતિ કુસુમબેન પંડયા દ્વારા કુમકુમ તીલક થી સન્માન્ કરવામાં આવ્યું.. શ્રી લતીશજી તરફથી પરીચય આપવામાં આવ્યો.
ડૉ સંબિત પાત્રાએ સૌને આવકારી તેમના વિચારોની રજુઆત કરી. ભારતના વર્તમાન વડા પ્રધાન માનનિયશ્રી નરેદ્ર મોદી તથા સમગ્ર મંત્રીમંડળ અને સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકર્તા ને પણ બિરદાવી અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીજીના મજબૂત મનોબળ અને નવિ વિચારધારાઓને કારણે નવા ભારતના વિચારોને વેગ મળ્યો. પ્રજાનો સહયોગ પણ પ્રસંશનિય છે. ટોયલેટ અને બેટી બચાવો-બેટી પઢાવો,સ્વચ્છ ભારત-આર્ટીકલ ૩૭0,સર્જીકલ સ્ટ્રાઈક,એર સ્ટ્રાઈક,રામ મંદિર વગેરેના વિશ્લેસણ સાથે નવા ભારતની શરુઆતને વેગ મળ્યો છે. શ્રી પાત્રાએ આશા દર્શાવીકે ' નવા ભારત ' ની રચના ની શરુઆત થઈ ગઈ છે જે ભૂતકાળમાં ' સોને કી ચીડીયા ' વાળા ભારત ની સંસ્ક્રુતિને પુનઃ જિવિત કરી એ સોનેરીયુગ પાછો આવે તેના નિર્માણના પવિત્ર કાર્યના આપણે સાક્ષી બનીએ અને ગૌરવવંતા નગરીક તરીકે ગર્વ અનુંભવીએ. ત્યાર બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ખૂબજ ઉત્તેજીત રહ્યો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગીઓ શ્રી દર્શન પટેલ,અનિલ મહાજન , રાજુભાઈ પટેલ,પરીમલ શાહ,કનક ઝાલા,સંજય શાહ,જીતેન પટેલ, જત મંદિરના સર્વશ્રી કૌશિક પટેલ,મહેશ ભટ્ટ,ભાનુંભાઈ પંડયા વગેરે ની સેવા બદલ ધન્યવાદ.. અંતમાં કૌશિકભાઈ પટેલે હાજર સૌનો આભાર માન્યો હતો..તેમજ સુંદર-સ્વાદિષ્ટ ભોજનથી સૌ સંતુષ્ટ થયા હતા.તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ અને તસ્વિરો શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.