એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 26th March 2020

કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપરના હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અમેરિકાએ વખોડ્યો

વોશિંગટન : કાબુલમાં આવેલા શીખ ગુરુદ્વારા ઉપર ગઈકાલ બુધવારે થયેલા આતંકી હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા અમેરિકાએ વખોડી કાઢ્યો છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના એન્ટોનિઓ ગુટરેસ તથા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ આ ઘટનાને અફઘાનિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અવારનવાર થતા હુમલાની ભયંકર ઘટના સમાન ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ આતંકી હુમલાથી 27 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે.તથા 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે

(12:33 pm IST)