એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 25th March 2020

ભારતમાં જનતા કર્ફ્યુ દરમિયાન સેવા કર્મીઓને તાલી ,તથા થાળી વેલણ વગાડી બિરદાવાની ઘટનાની અમેરિકામાં પ્રશંસા

વોશિંગટન : ભારતમાં 22 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આદેશને માન આપી અમલી બનાવાયેલા જનતા કર્ફયુને પ્રચંડ લોક સહયોગ સાંપડ્યો હતો તેમજ  કર્ફ્યુ દરમિયાન વડાપ્રધાનની સૂચના મુજબ સાંજે પાંચ વાગ્યે લોકોએ તાળીઓ વગાડી તથા થાળી વેલણ વગાડી કોરોના વાઇરસ સામેની લડત માટે સેવા આપી રહેલા કર્મીઓને બિરદાવ્યા હતા તે બાબતને અમેરિકાએ બેહદ પ્રેરણાદાયી કદમ કહી વખાણ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 am IST)