એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 24th March 2020

" કોરોના " : ઇટાલીમાં છેલ્લા 2 દિવસમાં મોત અને નવા કેસમાં ઘટાડો : મુશ્કેલીમાંથી બહાર આવવાના એંધાણ

રોમ : કોરોના વાઇરસના કહેરને કારણે અત્યાર સુધીમાં જ્યાં 6 હજારથી થી વધુ મોત થયા છે તે ઇટાલીમાં છેલ્લા 2 દિવસમાં મોત અને નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આથી તબીબો ખુશ થયા છે.તથા મુશ્કેલીનો અંત આવવાની આશા રાખી રહ્યા છે.
જોકે અત્યાર સુધીમાં આ દેશ આર્થિક રીતે પાયમાલ થઇ ગયો છે તથા હજારો માનવ જિંદગીઓ ગુમાવી ચુક્યો છે.તેના માટે ઘટી રહેલા મોત અને નવા કેસની સંખ્યા આશાના કિરણ સમાન છે.જે માટે તેને પોતાની અર્થ વ્યવસ્થા અને વ્યક્તિગત આઝાદી દાવ ઉપર લગાવવા પડ્યા છે.

(11:04 am IST)