એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st March 2020

વિદેશોમાં વસતા દોઢ લાખ પાકિસ્તાની મૂળના નાગરિકો વતનમાં પાછા જવા ઉત્સુક : ઇમરાનખાન સ્વીકારવા તૈયાર નથી

ઇસ્લામાબાદ : કોરોનગ્રસ્ત દેશોમાં વસતા પાકિસ્તાની મૂળના દોઢ લાખ જેટલા નાગરિકો વતનમાં પાછા જવા ઉત્સુક છે પરંતુ ઇમરાનખાન તેઓને સ્વીકારવા તૈયાર નથી તેવું પાકિસ્તાની અખબારે જણાવ્યું છે.
પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનના જણાવ્યા મુજબ દેશમાં આટલા બધા લોકોને સ્વીકારવાની સગવડ નથી.નબળી આર્થિક પરિસ્થિતિ અને આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે વિદેશોથી આવનારા વતનના  નાગરિકો માટે હોસ્પિટલ સહીત તમામ સુવિધાઓ ઓછી પડે તેમ છે.

(12:41 pm IST)