એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th September 2019

નેપાળના પશુપતિનાથ મંદિરમાં શંક્સ્પદ વસ્તુ દેખાતા દોડધામ : પોલીસ બાદ સેનાને બોલાવાઇ

બોમ્બ હોવાની ચર્ચા કેટલી સાચી છે તે બહાર આવ્યું નથી

 

કાઠમંડુ : નેપાળના પશુપતિનાથ મંદિરમાં શુક્રવારે અચાનક દોડધામ મચી ગઈ હતી. મંદિરના પરિસરમાં એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. પોલીસ બાદ સેનાને બોલાવવામાં આવી હતી. જો કે અનુમાન પ્રમાણે બોમ્બ હોવાની ચર્ચા કેટલી સાચી છે તે સામે આવ્યું નથી.

પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટે હાલમાં પહેલી વખત પોતાની સંપતિ જાહેર કરી હતી. મંદિર પ્રશાસન અનુસાર મંદિરના ખજાનામાં 120 કરોડ રોકડ રૂપિયા છે. સાથે મંદિર પાસે 9 કિલો જેટલુ સોનુ છે. અને 316 કિલો ચાંદી છે. તો મંદિર ટ્રસ્ટના નામે 186 હેક્ટર જમીન પણ છે.

 

(11:34 pm IST)