News of Friday, 21st September 2018
અમેરિકાના હયુસ્ટનમાં ૧૩ તથા ૧૪ સપ્ટે. ના રોજ '' જયપુર લિટરરી ફેસ્ટીવલ'' યોજાયો : ભારતના શ્રી શશિ થરૂર, સુશ્રી સોનલ માનસિંઘ, સુશ્રી શોભના રાવ, સહિતના સાહિત્યકારોએ હાજરી આપી
હયુસ્ટનઃ તાજેતરમાં અમેરિકાના હયુસ્ટનમાં ૧૩ તથા ૧૪ સપ્ટે. ના રોજ '' જયપુર લિટરરી ફેસ્ટીવલ '' યોજાઇ ગયો.
નામાંકિત લેખકો તથા કવિઓની ઉપસ્થિતીમાં સાહિત્ય ક્ષેત્રે થયેલા આદાન પ્રદાનમાં ભારત તથા અન્ય દેશોના હિન્દી સાહિત્યકારોએ હાજરી આપી હતી. જેમાં ભારતથી શ્રી શશિ થરૂર, કલાસિકલ ડાન્સર સુશ્રી સોનલ માનસિંઘ, સુશ્રી શોભના રાવ, ભારતના રાજદૂત શ્રી નવતેજ સરના ઉપરાંત હયુસ્ટન સ્થિત ઇન્ડો અમેરિકન લેખકો તથા સાહિત્યકારો શ્રી મિમિ સ્વાર્ટઝ રોબેર્ટો તેજાદા, કેથી રિપ્સ, પાકિસ્તાની મૂળના અનિસ શિવાની સહિતનાઓએ ભાગ લીધો હતો.
આ તકે શ્રી શશિ થરૂર લિખિત પુસ્તક '' વ્હાય આઇ.એમ. હિન્દુ'' વિષય ઉપર તેમણે સુશ્રી નિમિતા ગોખલેના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.
(9:39 pm IST)