એન. આર. આઈ. સમાચાર
News of Friday, 25th May 2018

અનિવાર્ય સંજોગો સિવાય કેરળ જવાનું મુલતવી રાખજોઃ ૧૧ લોકોનો ભોગ લેનાર નિપાહ વાઇરસના હાહાકારને ધ્‍યાને લઇ UAE સરકારની પ્રજાજનોને ચેતવણી

દુબઇઃ UAE સરકારે  ભારતના કેરાવામાં ફેલાયેલા નિપાહ વાઇરસને ધ્‍યાને લઇને ખાસ જરૂરી સંજોગો સિવાય કેરળનો પવાસે નહી જવા નાગરિકોને અનુરોધ કર્યો છે.

કેરળમાં હાહાકાર મચારવનાર નિપાહ વાઇરસથી અત્‍યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. તથા ૪૦ લોકો જીવન મરણ વચ્‍ચે ઝોલા ખાઇ રહ્યા છે ચામાચિડીયા, ડોગ, હોર્સ જેવા પ્રાણીઓ દ્વારા ફેલાતા આ રોગથી બચવા કેરળનો પ્રવાસ મુલતવી રાખવા UAEના હેલ્‍થ મંત્રાલયે નાગરિકોને અનુરોધ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:53 pm IST)