News of Monday, 23rd November 2020
કરતારપુર કોરિડોર 27 નવેમ્બરથી ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા : ગુરુ નાનકદેવની 551 મી જન્મ જયંતિ ઉજવવા માટે ભારતના શીખો પાકિસ્તાન જઈ શકે તેવો હેતુ
ન્યુદિલ્હી : ભારતના ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનક સાહેબ અને પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારા સાહેબને જોડતો 4.7 કિલોમીટર લાંબો કરતારપુર કોરિડોર આગામી 27 નવેમ્બરથી ખુલ્લો મુકવા સરકાર વિચારી રહી છે.તેવું તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર વિજય સપલાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કોરિડોર વર્તમાન કોવિદ -19 ના સંજોગોને લઇ મે માસથી બંધ કરી દેવાયો છે.જે ઓક્ટોબર માસમાં ખુલ્લો મુકવા માટે પાકિસ્તાન સરકારે ઓફર કરી હતી પરંતુ ભારત સરકારે તેનો અસ્વીકાર કર્યો હતો.જે હવે ગુરુ નાનકદેવની જન્મ જયંતીની ઉજવણી માટે ખુલ્લો મુકાઈ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:38 pm IST)