ભારતના સ્વાતંત્ર્ય સેનાની ગુજરાતના કેસલી (બિલીમોરા)ના વતની શ્રી ઉકાભાઇ રવજીભાઇ પટેલનું નિધનઃ ૯૯ વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધાઃ યુ.એસ. સ્થિત નવસારી વિભાગ પટેલ સમાજ તથા સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળએ શ્રધ્ધાંજલી પાઠવી
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ભારતના સ્વાતંત્ર્ય સેનાની ગુજરાતના કેસલી ગામ (બિલીમોરા)ના વતની શ્રી ઉકાભાઇ રવજીભાઇ પટેલનું ૨૦ જુલાઇ ૨૦૧૯ના રોજ ૯૯ વર્ષની જૈફ વયે નિધન થતાં ભારત દેશએ આઝાદીની લડતના સેનાની તથા ગાંધીવાદી આગેવાન ગૂમાવ્યા છે.
સદગતના નિધનથી વિદેશોમાં વસતા સાઉથ ગુજરાતના વતનીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. તેમના ધર્મપત્ની શ્રીમતિ કુમુંદબેનનું થોડા વર્ષો પહેલા નિધન થયુ ંછે. સ્વ.શ્રી ઉકાભાઇની ચિર વિદાયથી તેમના પુત્રો ડો.સુમન પટેલ, ડો.મહેશ પટેલ, તથા સ્વ.શ્રી અનિલભાઇ, તેમજ ભાઇ શ્રી મનુભાઇના પરિવાર સહિતના સ્વજનો તથા વિશાળ ચાહકોએ છત્રછાયા ગુમાવી છે.
તેઓ કેસલી ગામના સૌપ્રથમ ગ્રેજ્યુએટ હતા તથા ૧૯૪૧ થી ૧૯૪૮ દરમિયાન બિલીમોરાની જુદી જુદી હાઇસ્કુલોમાં તેમણે શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. બ્રિટીશ રાજ સામે તેમણે લડત ચલાવી હતી. તેમને ભારત સરકાર તરફથી ''ફ્રીડમ ફાઇટર એવોર્ડ'' અપાયો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ તેઓ સપરિવાર આફ્રિકામાં શિક્ષક તરીકે સ્થાયી થયા હતા. ત્યારબાદ તેમનો પરિવાર શ્લ્ખ્માં તથા તેઓ બિલીમોરામાં સ્થાયી થયા હતા. તેમણે બિલીમોરા વિભાગ કોળી સમાજની સ્થાપના કરી હતી. તેમજ કેસલી વિભાગ કેળવણી મંડળના પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી હતી. તથા નવી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરાવી હતી. શિક્ષણ તથા નિસ્વાર્થ સેવા માટે જીવન અર્પણ કરનાર વ્યકિત તરીકે તેઓ સદાય સહુના હૃદયમાં અંકિત રહેશે. તેવી કામના સાથે યુ.એસ.સ્થિત નવસારી વિભાગ પટેલ સમાજ તથા સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ કમિટી વતી પ્રેસિડન્ટ શ્રી વિરૂ પટેલએ શ્રધ્ધાંજલી આપી સદગતના આત્યાને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.