એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 24th June 2018

પાકિસ્‍તાનના લાહોરમાં મહારાજા રણજીતસિંહની પૂણ્‍યતિથિ ઉજવવા ૩૦૦ શીખ શ્રધ્‍ધાળુઓ રવાનાઃ ભારત ખાતેના પાકિસ્‍તાનના રાજદૂતાવાસ દ્વારા ૩૦ જુન સુધીના વીઝા મંજુર

ન્‍યુદિલ્‍હીઃ પાકિસ્‍તાનના લાહોર મુકામે મહારાજા રણજીતસિંહની પૂણ્‍યતિથી મનાવવા માટે ભારતના ૩૦૦ શીખ શ્રધ્‍ધાળુઓને વીઝા અપાયા છે

ભારત ખાતેની પાકિસ્‍તાનની કોન્‍સ્‍યુલેટ કચેરી દ્વારા જણાવાયા મુજબ પાકિસ્‍તાન રેલ્‍વેની એક સ્‍પ્રેશ્‍યલ ટ્રેન ૨૧ જુનના રોજ અટારીથી પાકિસ્‍તાન જવા રવાના થઇ છે. જેમાં જોડાયેલા શીખ શ્રધ્‍ધાળુઓ ૩૦ જુન સુધી પાકિસ્‍તાનમાં રોકાઇ શકશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસ પહેલા ગુરૂ અર્જુનદેવની પૂણ્‍યતિથિ મનાવવા ગયેલા શીખ શ્રધ્‍ધાળુઓ ૧૭ જુનના રોજ પાકિસ્‍તાનથી પરત આવી ગયા છે.

(9:36 pm IST)