News of Sunday, 24th June 2018
UAEમાં બુટલેગીંગના આરોપસર પકડાયેલા ૧૫ ભારતીયોને મુક્ત કરાવતા ભારતીય મૂળના હોટેલિયર શ્રી એસ.પી.સિંઘ ઓબેરોયઃ દંડની રકમ પોતે ભરી દીધી
જલંધરઃ ૧૪ પંજાબી તથા ૧ બિહારી સહિત ભારતીય મૂળના ૧૫ નાગરિકોને UAEમાં બુટલેગીંગ તથા મર્ડરના કેસમાંથી દુબઇ ખાતેના ભારતીય મૂળના હોટેલિયર તથા દાનવીર શ્રી એસ.પી.સિંઘ ઓબેરોયએ મુક્ત કરાવ્યા છે. જેમણે આ ભારતીયોને કરાયેલા દંડની રકમ જાતે ભરી દીધી છે.
અત્યાર સુધીમાં આવા ૯૩ ભારતીયોને તેમણે ૨૦ કરોડ રૂપિયા જેટલી દંડની રકમ ભરી મુક્ત કરાવ્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:32 pm IST)