એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st April 2018

હવે લંડન તથા સિંગાપોરમાં વસતા NRI પ્રજાજનોને પણ યશ બેંકની સેવાઓનો લાભ મળી શકશેઃ ૨૦૧૫ની સાલમાં અબુ ધાબીમાં શાખા ખોલ્‍યા બાદ હવે લંડન તથા સિંગાપોર માટે પણ RBI ની મંજુરી

ન્‍યુ દિલ્‍હીઃ પ્રાઇવેટ સેકટર બેંક ‘‘યશ બેંક''ને લંડન તથા સિંગાપોરમાં શાખા ખોલવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાએ મંજુરી આપી દીધી છે. તેવું યશ બેંકના એમ.ડી.તથા ceo શ્રી રાણા કપૂરએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

શ્રી રાણાએ ઉપરોક્‍ત ઘોષણાં કરવાની સાથે જણાવ્‍યું હતું કે તેઓ વિદેશોમાં વસતા NRI માટે વધુ સેવાઓ આપી શકશે. બેંકની સહુપ્રથમ આંતર રાષ્‍ટ્રિય શાખા અબુ ધાબીમાં ખોલ્‍યા બાદ હવે ઉપરોક્‍ત બંને દેશોના NRIને પણ યશ બેંકની સેવાઓ મળી શકશે. તેવું તેમણે ઉમેર્યુ હતું.

(11:14 pm IST)