એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 18th July 2021

ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી સોનાલી શુક્લા તથા શ્રી નીલ સુખત્મેની એન્ડ્રયુ કાર્નેગી ફેલો તરીકે પસંદગી : 2021 ની સાલ માટે પસંદ કરાયેલા ફેલોમાં સ્થાન મેળવ્યું

ન્યુયોર્ક : એન્ડ્રયુ કાર્નેગીએ 2021 ની સાલ માટે પસંદ કરેલા ફેલોની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સંશોધક મહિલા સુશ્રી સોનાલી શુક્લા તથા શ્રી નીલ સુખત્મેએ સ્થાન મેળવ્યું છે.

સુશ્રી સોનાલી શુકલા ન્યુયોર્ક યુનિવર્સીટીના એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે.તથા ભૂસ્ખલનથી વાતારણમાં થતા પરિવર્તન અંગે સંશોધન કરે છે.

તેમણે ન્યુયોર્ક યુનિવર્સીટીમાંથી ફિઝિક્સ વિષય સાથે બેચલર ડિગ્રી મેળવી છે.તથા કોલંબિયા યુનિવર્સીટીમાંથી પીએચડી કર્યું છે.

જયારે શ્રી સુખત્મે જ્યોર્જિયા યુનિવર્સીટીમાં લો પ્રોફેસર છે. તેઓ સમાજમાં ગુનાખોરી અને તેથી ગુનેગારોને થતી જેલ અને તેનાથી ગુનેગારોના પરિવારો ઉપર થતી અસરો વિષે સંશોધન કરે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)