એન. આર. આઈ. સમાચાર
News of Monday, 23rd July 2018

યુ.એસ.સ્થિત શ્રી મનુભાઈ કે.પટેલના મોટાભાઈ શ્રી નાનુભાઈ કે.પટેલનું ભારતમાં દુઃખદ અવસાન : નવસારી વિભાગ પટેલ સમાજની શ્રદ્ધાંજલિ :

દિપ્તીબેન જાની દ્વારા: ન્યુજર્સી : સખેદ જણાવવાનું કે,ચાંગાના વતની શ્રી નાનુભાઈ  કે.પટેલનું 19 જુલાઈ2018 ના રોજ હ્રદયરોગથી ભારતમાં દુઃખદ અવસાન થયું છે.તેઓ 84 વર્ષના હતા.તથા શ્રી મનુભાઈ કે.પટેલના મોટાભાઈ થતા હતા.તેમજ ક્લિન્ટનમાં 30 વર્ષ જેટલો સમય રહ્યા હતા.તેઓ તેમની પાછળ તેમના પત્ની શ્રીમતી રમાબેન પટેલ (કલવાચ ગામ),તથા 3 પુત્રીઓ,તથા 2 ભાઈઓ શ્રી મનુભાઈ ,તથા શ્રી અરવિંદભાઈ ,તથા બહેન શ્રીમતી કાંતાબેન સહીત વિશાળ સ્નેહીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.સદ્દગતની ઉત્તરક્રિયા માટે શ્રી મનુભાઈ તથા અન્યો ભારત જવા રવાના થઇ ગયા છે.શ્રી મનુભાઈનો ફોન નં 732-970-8992 છે.

 સદગતના પરમ પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તથા પરિવારજનોને આઘાત જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના તથા શ્રદ્ધાંજલિ નવસારી વિભાગ પટેલ સમાજ વતી પ્રેસિડન્ટ શ્રી વીરુ પટેલ તથા એકઝીકયુટીવ કમિટીએ  પાઠવી છે.

 

(12:37 pm IST)