એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st May 2020

પાકિસ્તાન દ્વારા લેવાતા આતંકવાદ વિરોધી પગલાં ઉપરછલ્લા છે કાયમી નથી : અમેરિકા

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાના પ્રવક્તાએ પાકિસ્તાન દ્વારા લેવાઈ રહેલા આતંકવાદ વિરોધી પગલાંઓને ઉપરછલ્લા ગણાવ્યા હતા.તથા જણાવ્યું હતું કે આ પગલાંઓ કાયમી નથી

એશિયાઈ સહાયક  વિદેશ મંત્રી એલિસ વેલ્સે જણાવ્યું હતું કે આતંકવાદનો ખાત્મો બોલાવવા અમે ઇસ્લામાબાદ ઉપર કાયમી દબાણ લાવીએ છીએ જેનો અમુક પાકિસ્તાની અધિકારીઓ દ્વારા સાનુકૂળ પ્રતિભાવ સાંપડે છે.પરંતુ તે કાયમી પણે જોવા મળતો નથી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:45 pm IST)