એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 23rd March 2019

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતા હિન્દુ પરિવારની ૨ સગીર યુવતિઓનું અપહરણઃ ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી શાદી કરી લીધી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા ઘોટકી જીલ્લામાં વસતા એક હિન્દુ પરિવારની ૨ યુવતિઓું અપહરણ કરી તેનું ધર્મપરિવર્તન કરાયુ છે તથા ફરજીયાત શાદી કરાવી  દેવાઇ હોવાના ચોકાવનારા સમાચારો જાણવા મળે છે.

એક બાજુ પાકિસ્તાનના પ્રાઇમ મિનીસ્ટરની ''નયા પાકિસ્તાન''ની લઘુમતિ કોમને સમાનતાની બણગાં ફુંકતી વાતો અને બીજી બાજુ હોળીના દિવસે હિન્દુ પરિવારની ૨ સગીર યુવતિઓનું અપહરણ ઇમરાનખાનની ગુલબાંગોના ધજીયા ઉડાડી દેનારી છે.

હિન્દુ પરિવારના જણાવ્યા મુજબ પોલીસે ફરિયાદ નોંધવાનો પણ ઇન્કાર કર્યો હતો. બાદમાં તેમણે પોલીસ ડીપાર્ટમેન્ટ વિરૂધ્ધ દેખાવો કરતા ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.

 

(8:52 pm IST)