એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd September 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં ''અશ્વમેઘ મહાયજ્ઞ'' સિલ્વર જયુબિલી ઉત્સવ ઉજવાયોઃ ડો.પ્રણવ પંડ્યાજી તથા ડો.ચિન્મય પંડ્યા સહિત સંતોએ હાજરી આપી

કેલિફોર્નિયા : ગાયત્રી પરીવાર હરીદ્વાર અને ગાયત્રી ચેતના સેન્ટર એનાહેમ,કેલિફોર્નિયા આયોજીત '' અશ્વમેઘ મહાયજ્ઞ " સાથે સીલ્વર જ્યુબીલી સાધના ઉત્સવ   તા. ૧૩ થી ૧૬ સપ્ટે દરમ્યાન ભવ્યતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે હરીદ્વારથી સંસ્થાના પ્રમુખ પુજ્યશ્રી ડૉ.પ્રણવ પંડયાજી તથા ડૉ.ચીન્મય પંડયા સાથે સંતગણ ની હાજરી પ્રેરણાદાયી રહી.

      ઉપરોક્ત સંતોની આગેવાની નીચે '' યોગા મેડીટેશન,ધાર્મિક ચર્ચા, બીચ પર '' સનસેટ મેડીટેશન,વૈદીક દીપ મહાયજ્ઞ,કળશયાત્રા, તથા ૨૫૧ કુંડી ગાયત્રી  મહાયજ્ઞ સાથે વિવિધ સાંસ્કૃતિક  પોગ્રામનું આયોજન સંસ્થાના સર્વશ્રી રાજુભાઈ પટેલ,મહેશભાઈ ભટ્ટ,કૌશીકભાઈ પટેલ,મહંતશ્રી શંકરભાઈ બારોટ,રિશ્મા ભટ્ટ,મીનાબેન ભટ્ટ સાથે અન્ય મહિલા કાર્યકરોના સહયોગથી  સુંદર રીતે તમામ કાર્યક્રમોનું આયોજન કરાયું  હતું.તેમજ  પ્રસંગને અનુરૂપ દાતાઓ-કાર્યકરોનું સન્માન શ્રી પ્રણવ પંડયાજી તથા શ્રી ચીન્મય પંડયા ના હસ્તે કરવામાં આવ્યુ હતું.

   આજથી ૨૫ વર્ષ પહેલાં આયોજીત થયેલ અશ્વમેઘ મહાયજ્ઞ ના અનુસંધાન માં આ રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જે બદલ આયોજકો ધન્યવાદના અધિકારી બન્યા હતા.તેવું શ્રી હર્ષદરાય શાહના તસ્વીર સૌજન્ય સાથે શ્રી કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)