એન. આર. આઈ. સમાચાર
News of Monday, 22nd July 2019

અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં જૈન આચાર્ય ડો.લોકેશ મુનિ. તથા ડો.ગૌર ગોપાલનું બહુમાનઃ વિશ્વમાં શાંતિ, સમાનતા, તથા અહિંસાના ફેલાવા માટે મહત્વનું યોગદાન આપવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત

કેલિફોર્નિયાઃ તાજેતરમાં અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટ  એસેમ્બલીમાં ભારતના સંતો પૂજન જૈન આચાર્ય ડો.લોકેશ મુનિ તથા ડો.ગૌર ગોપાલનું બહુમાન કરાયું હતું.

વિશ્વમાં શાંતિ, સમાનતા, તથા પવિત્રતા અને કરૃણાના ફેલાવામાં યોગદાન આપવા બદલ તેઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. તથા ઉપસ્થિત  તમામ લોકોએ ઊભા થઇ તેઓને બહુમાનિત  કર્યા હતા.

આચાર્ય લોકેશ મુનિ સમાજ સુધારક, વિદ્વાન ચિંતક, લેખક તથા કવિ છે. તથા છેલ્લા ૩૦વર્ષથી વિશ્વમાં કોમી એકતા, અહિંસા, શાંતિ, તથા પરસ્પર સહકારના ફેલાવા માટે કાર્યરત છે. જયારે ડો.ગૌર ગોપાલ ફિલ્મ નિર્માતા, જીવનના ઘડતર માટેના માર્ગદર્શન તથા લેખક છે.

(8:17 pm IST)