એન. આર. આઈ. સમાચાર
News of Monday, 21st December 2020

' સંધ્યાસ ટચ ' : ગંભીર રોગોથી પીડાતા લોકોની સેવા માટે તથા તેના પરિવારને મદદરૂપ થવા લોન્ચિંગ કરાયેલું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : કેન્સરથી પીડિત સ્વ. સુશ્રી સંધ્યા આચાર્યની સ્મૃતિમાં ઇન્ડિયન અમેરિકન શ્રી મુકુંદ આચાર્યના એક્ઝિક્યુટિવ પદે 7 ડિસેમ્બરના રોજ લોન્ચિંગ કરાયું : જીવલેણ રોગોથી પીડિત લોકોને કઈ રીતે સધિયારો આપવો તે અંગેનું અભિયાન

વોશિંગટન : ગંભીર રોગોથી પીડાતા લોકોની સેવા માટે તથા તેના પરિવારને મદદરૂપ થવા માટે ઇન્ડિયન અમેરિકન શ્રી મુકુંદ આચાર્યના એક્ઝિક્યુટિવ પદે 7 ડિસેમ્બરના રોજ ' સંધ્યાસ ટચ 'નામક નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનું   લોન્ચિંગ કરાયું છે.


 કેન્સરથી પીડિત  સ્વ. સુશ્રી સંધ્યા આચાર્યની સ્મૃતિમાં શરૂ કરાયેલા આ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને સહકાર આપવા અન્ય કોમ્યુનિટી સંગઠનોને પણ અપીલ કરાઈ છે.
આ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ કોમ્યુનિટીને પરિવારના કોઈ સભ્યની ગંભીર માંદગી સમયે તેને આનંદમાં રાખવા તથા મદદરૂપ થવા માટે સમજણ આપવાનો હેતુ છે.
વિશેષ માહિતી www.sandhyastouch.org.દ્વારા મેળવી શકાશે તેવું જાણવા મળે છે.

(8:25 pm IST)