News of Tuesday, 17th July 2018
અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ પરામસ ન્યુજર્સીના ઉપક્રમે ૧ પ જુલાઇના રોજ રથયાત્રા યોજાઇઃ કિર્તન ભકિત, સત્સંગ કથા, રથયાત્રા પ્રસ્થાન, ઠાકોરજીનું પૂજન, આરતી તથા મહાપ્રસાદના આયોજન સાથે યોજાયેલ રથયાત્રામાં સેંકડો ભાવિકો જોડાયા
(દિપ્તીબેન જાની દ્વારા): ન્યુજર્સી : અમેરિકાના શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ વડવ, ર૦પ, સ્પ્રિંગ વેલી રોડ, પરામરુ, ન્યુજર્સીના ઉપક્રમે ૧પ જુલાઇ ર૦૧૮ ના રોજ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતુ. ગુરુ મહારાજશ્રી દેવક્રિશ્નદાસજી સ્વામીના આર્શિવાદ સાથે યોજાયેલી રથયાત્રા અંતગર્ત સાંજે ૪-૩૦ કલાકે કિર્તન ભકિત, પ-૦૦ વાગ્યે સત્સંગ કથા,પ-૩૦ કલાકે રથયાત્રા, ૬-૧પ કલાકે ઠાકોરજી પૂજન, ૬-૪પ કલાકે આરતી તથા ૭-૧પ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતુ જેનો વિશાળ સંખ્યામાં હરિભકતોએ લાભ લીધો હતો. તેવું શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળની યાદી જણાવે છે.
(10:53 am IST)