એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st February 2019

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાઉથ કોરીયાના પ્રવાસેઃ આજ ગુરૂવારે મહાત્મા ગાંધીની મૂર્તિનું અનાવરણ કર્યું: સ્થાનિક ભારતીયો સાથે ચર્ચાઓ કરી

સિયોલ : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની બે દિવસની સાઉથ કોરીઆ ખાતેની મુલાકાત અંતર્ગત તેમણે આજરોજ મહાત્મા ગાંધીની મૂર્તિનું અનાવરણ કર્યુ હતું. તેમણે સ્થાનિક ભારતીયો સાથે પણ મુલાકાત કરી હતી. સાઉથ કોરીઆ સરકાર દ્વારા તેમને 'સિઓલ શાંતિ પુરસ્કાર' આપી સન્માનિત કરાશે. તેઓ સાઉથ કોરીઆ તથા ભારત વચ્ચેના વ્યાવસાયિક સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરશે.

(6:36 pm IST)