એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 20th February 2021

' હેલ્થકેર હીરોઝ ઓફ કેનેડા ' : ટોરોન્ટો જનરલ હોસ્પિટલ MSICU ના કોવિદ -19 સંક્રમિત દર્દીઓ માટે SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે ભોજન સેવા : વોલન્ટિયર્સને સન્માનિત કરાયા

ટોરોન્ટો :કેનેડાના ટોરોન્ટોમાંસાતે દિવસ સતત 24  કલાક ચાલુ રહેતી MSICU  હોસ્પિટલમાં કોવિદ -19 સંક્રમિત દર્દીઓ માટે SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે ભોજન સેવા પુરી પાડવા બદલ વોલન્ટિયર્સનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં મોટા ભાગના ઓન્ટારીઓ હોસ્પિટલના કોવિદ -19 સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવે છે. જેઓને ભોજન સેવા પુરી પાડવા માટે ગુરુકુળના વોલન્ટિયર્સ ભાઈ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું ગુરુકુળની યાદી જણાવે છે.

(8:31 pm IST)