એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th March 2019

એનઆરઆઇ મતદારો પૈકી ૯ર ટકા કેરલના વતનીઃ આગામી લોકસભા ચૂંટણીઓમાં કેરળના NRI મતદારો મહત્વનો ભાગ ભજવશેઃ

 કેરાલાઃ  વિદેશોમાં વસતા ભારતીયોને અપાયેલા મતદાનના અધિકારને કારણે  ભારતમાં હાલમાં ૭૧ હજાર ૭૩પ રજીસ્ટર્ડ વોટર્સ છે. જેઓ વતનમાં યોજાતી ચૂંટણીઓમાં મતદાન કરી શકે છે.

         આશ્ચર્યની વાત એ છે કે આ રજીસ્ટર્ડ વોટર્સ પૈકી ૯ર ટકા એટલે કે ૬૬ હજાર પ૮૪ મતદારો કેરળ પ્રાંતના છે. આમ કેરળમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં N.R.I. મતદારો પણ મહત્વનો ભાગ ભજવશે.

(8:44 pm IST)