એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 17th July 2018

બહેરીનના આર્થિક વિકાસમાં સ્થાનિક ભારતીયોનું મહત્વનું યોગદાન છેઃ મનામા મુકામે યોજાયેલ જોઇન્ટ કમિશન મીટીંગમાં બહેરીનના વિદેશ મંત્રીએ ભારતીયોના વખાણ કર્યા.

ન્યુ દિલ્હીઃ મનામા ખાતે યોજાયેલી દ્વિતીય હાઇ જોઇન્ટ કમિશન મીટીંગમાં ઉપસ્થિત  ભારતના વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ તથા તેમના ડીપાર્ર્ટમેન્ટના પ્રવકતા શ્રી રવિશકુમારે ટિવટર દ્વારા પ્રસારિત કરાયેલા સંદેશમાં બહેરીનમાં વસતા  ભારતીયોની ત્યાંના પ્રનિનિધિ દ્વારા પ્રશંસા થઇ હોવાનું જણાવ્યું છે.

તેમણે ઉમેર્યુે હતે કેે મીટીંગમાં ઉપસ્થિત બહેરીનના ફોરેન મિનીસ્ટર શેખ ખલીદ બિન અહમદ અલ ખલીફાએ બહેરીનમાં સ્થાયી થયેલા ભારતીયોનું દેશના આર્થિક વિકાસમાં  મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું છે તથા તેમની પ્રશંસા કરી છે.

(10:53 am IST)