‘‘ધ લોસ ઓફ સ્પાઉસ'': જીવનસાથીની વિદાય પછી આવી પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શનઃ નાણાંકીય પ્રબંધ, પ્રોપર્ટી, વીલ, વીમો, સહિતની બાબતોની છણાંવટ કરાશેઃ અમેરિકાના હયુસ્ટનમાં ઇન્ડિયા હાઉસ ખાતે ૮ જુલાઇ ૨૦૧૮ના રોજ ફ્રી સેમિનાર
હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ઇન્ડિયા હાઉસ, શેર અવર સિક્રેટસ (SOS) ઇન્ડિયન અમેરિકન કેન્સર નેટવર્ક (IACAN) તથા ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેટર હયુસ્ટનના સંયુક્ત ઉપક્રમે ૮ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ ‘‘ધ લોસ ઓફ સ્પાઉસ ધ લાઇફ આફટર'' વિષય ઉપર ફ્રી સેમિનારનું આયોજન કરાયું છે.
ઇન્ડિયા હાઉસ ખાતે યોજાનારા આ સેમિનારનો સમય બપોરે ૩-૩૦ થી સાંજે ૫-૩૦ વાગ્યા સુધીનો રહેશે.
આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના વિદ્વાન વકતાઓ ઉદબોધન કરશે. જેઓ સિનીઅર સિટીઝન દંપતિ પૈકી કોઇ પણ એકનું અવસાન થતા આવી પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિધવા કે વિધુર માટે નાણાંકીય પ્રબંધ, પ્રોપર્ટી અંગે વીલ, વીમો, વારસદારો, સહિતની બાબતોની છણાંવટ થશે. તથા એકલા રહેતા જીવવા અંગે માર્ગદર્શન અપાશે. તેવું ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે.