એન. આર. આઈ. સમાચાર
News of Monday, 19th November 2018

‘‘દિપોત્‍સવી ઉત્‍સવ તથા સ્‍નેહમિલન'' : યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ, ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૧ નવે. ના રોજ કરાયેલી ઉજવણી :

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ  રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ ન્‍યુજર્સી દ્વારા વિક્રમ સંવત ર૦૭પ ના  નૂતન વર્ષનો અન્નકુટ તથા  સ્‍નેહમિલનનો ઉત્‍સવ પૂ. સ્‍વામીશ્રી કૃષ્‍ણસ્‍વરૂપદાસજી અને આનંદ પ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ રવિવાર તા. ૧૧ નવે.ર૦૧૮ ના રોજ ઉજવવામાં આવ્‍યો હતો. અન્નકુટમાં મહિલા ભકતો દ્વારા રપ૧ થી વધારે વાનગીધરાવવામા આવી હતી. અન્નકુટનો લાભ સેંકડો ભકતો- દર્શનાર્થીઓએ સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્‍યા સુધી લીધો હતો. દરેક દર્શનાર્થીને આરતીનો લાભ આપવામાં આવ્‍યો હતો. સાંજે ૪ થી ૭ સ્‍નેહમિલન તથા દિપોત્‍સવી ઉત્‍સવ અને  પૂ.સંતોના આર્શીવચનોનો લાભ હરિભકતોએ લીધો હતો. સંસ્‍થાની બે નવી શાખા, સાન એન્‍ટોનીઓ, TX અને  સ્‍પ્રીંગફિલ્‍ડમાં ટૂંક સમયમૉ ચાલુ થશે તેવી જાહેરાત શ્રી ચતુરભાઇ  વઘાસીયાએ કરીહતી. ગુરૂકુળ દ્વારા દર રવિવારે સત્‍સંગ સભા બાલ સંસ્‍કાર, ગુજરાતી ભાષા, સંગીત તથા નૃત્‍યના વર્ગો વિનામૂલ્‍યે ચાલે છે. વધુ માહિતી માટે ફોન નં. 201-882- 5815 પર સંપર્ક સાધવા વિનંતી તેવું ગુરૂકુળની યાદી જણાવે છે.

 

(8:11 pm IST)