News of Friday, 18th October 2019
ઔદીચ્ય ઘેલારામજી જ્ઞાતિના શ્રી નિરંજન કે.જોશીના ધર્મપત્ની અ સૌ.હંસાબેન ( ઉ.વ.82 ) શિવચરણ પામ્યા : 17 ઓક્ટોબર 2019 ના રોજ શિવ સ્મરણ કરતાં અંતિમ શ્વાસ લીધા : ઉઠમણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે
દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : સખેદ જણાવવાનું કે મહારાજશ્રી ઔદીચ્ય ઘેલારામજી જ્ઞાતિના શ્રી નિરંજન કે.જોશીના ધર્મપત્ની અ સૌ.હંસાબેન ( ઉ.વ.82 ) તે સેન્ટ મેરીના ભૂતપૂર્વ ટીચર તથા શ્રી વિરાજભાઈ ( અમેરિકા ) સુશ્રી જાગૃતિબેન ( લંડન ) શ્રી કમલેશભાઈ ( રાજકોટ ) ના માતુશ્રી તેમજ શિવાની,નિરાલી ,અને માનસીના દાદીમા 17 ઓક્ટોબર 2019 ના રોજ શિવ સ્મરણ કરતાં શિવ ચરણ પામેલ છે.
સદ્દગતનું ઉઠમણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.તેવું શ્રી નિરંજન કે.જોશી 1404 સાબ્રિના લેન ,પિસકાટા વે ,ન્યુજર્સીની યાદી જણાવે છે.
(8:44 pm IST)