એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 18th June 2020

ભારત તથા ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ મામલે રશિયાની મધ્યસ્થી : 23 જૂનના રોજ ત્રણે દેશોના વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કર્યું : રશિયાને બંન્ને દેશો સાથે સારા સબંધો હોવાથી સમાધાન કરાવી દેવાની આશા

મોસ્કો : ભારત તથા ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ તથા સંઘર્ષ મામલે રશિયાએ મધ્યસ્થી કરવાની પહેલ કરી છે.જે મુજબ 23 જૂનના રોજ ત્રણે દેશોના વિદેશ મંત્રીઓની મીટીંગનું આયોજન કર્યું છે.જેમાં આર્થિક ,રાજકીય ,તથા કોરોના વાઇરસ મામલે ચર્ચા સાથે સીમા વિવાદ દૂર કરવાના પ્રયત્નો કરાશે
રશિયાએ જણાવ્યા મુજબ તેઓને બન્ને દેશો સાથે સારા સબંધો હોવાથી તે સમાધાન કરાવી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)