એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th January 2019

સાઉદી અરેબિયામાં પેટિયું રળવા ગયેલા યુ.પી.ના 3 વતનીઓની હત્યા : ડ્રાઈવર તરીકે નોકરી કરતા ત્રણે ભારતીયોને નોકરીમાં રાખનાર માલિકે જ મારી નાખ્યા

રિયાધ  : ભારતના ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના રહેવાસી  3 નાગરિકો પેટિયું રળવા સાઉદી અરેબિયા ગયા હતા.ડ્રાઈવર તરીકે નોકરી કરી રહેલા ત્રણે ભારતીયોને નોકરીમાં રાખનાર માલિકે મારી નાખ્યા હોવાનું યુ.પી.પોલીસએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.જીવતા ગયેલા ત્રણે ભારતીયોના મૃતદેહ હવે ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.

ત્રણ મૃતકોમાં 35 વર્ષીય શફકત ,32 વર્ષીય શમીમ ,તથા ફીયાઝનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:36 am IST)