News of Friday, 18th January 2019
સાઉદી અરેબિયામાં પેટિયું રળવા ગયેલા યુ.પી.ના 3 વતનીઓની હત્યા : ડ્રાઈવર તરીકે નોકરી કરતા ત્રણે ભારતીયોને નોકરીમાં રાખનાર માલિકે જ મારી નાખ્યા
રિયાધ : ભારતના ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના રહેવાસી 3 નાગરિકો પેટિયું રળવા સાઉદી અરેબિયા ગયા હતા.ડ્રાઈવર તરીકે નોકરી કરી રહેલા આ ત્રણે ભારતીયોને નોકરીમાં રાખનાર માલિકે જ મારી નાખ્યા હોવાનું યુ.પી.પોલીસએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.જીવતા ગયેલા આ ત્રણે ભારતીયોના મૃતદેહ હવે ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.
આ ત્રણ મૃતકોમાં 35 વર્ષીય શફકત ,32 વર્ષીય શમીમ ,તથા ફીયાઝનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:36 am IST)