એન. આર. આઈ. સમાચાર
News of Friday, 17th May 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ટોરંટો-કેનેડા ખાતે યોજાઈ વચનામૃત કથા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ટોરંટો-કેનેડા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે પધારતા મંદિરના પ્રમુખ શ્રી અતુલભાઈ પટેલ, ધવલભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ વગેરે ભક્તજનોએ સ્વામીજીનું ભાવર્પૂર્ણ સ્વાગત કર્યું હતું.

વડતાલ ધામ ખાતે પૂજ્ય સ્વામીજીના વ્યાસાસને ત્રીદિવસીય વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત આ કથાના યજમાનપદે ગુરુકુલના ર્ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ધર્મેશભાઇ પટેલ રહ્યા હતા.

ત્રીદિવસીય વચનામૃત પરાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વચનામૃતના મહિમાની કથા કહી હતી. ઉપરાંત ભગવાનના ધ્યાનની સરળ રીતો શીખવી હતી. આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહેતા હતા.

આ પ્રસંગે વડતાલના શ્રી પવનસ્વામી વગેરે સંતોએ પણ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરી કથાની તમામ વ્યવસ્થા સંભાળી હતી.

પૂજ્ય સ્વામીજી સાથે વિદેશયાત્રાએ પધારેલા શાસ્ત્રી શ્રી ભક્તવત્સલદાસજી તથા શ્રી ધર્મવત્સદાસજીએ પ્રસંગોપાત કથાવાર્તાનો લાભ આપ્યો હતો.

પાર્ષદ ઘનશ્યામભગતના કંઠે ગવાયેલા કીર્તનો સાંભળી સૌ ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા.

ઉત્સાહિ ભાઈ-બહેનોએ કથામાં પધારતા ભક્તજનો માટે ભોજન-પ્રસાદની તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી.

(12:21 pm IST)