એન. આર. આઈ. સમાચાર
News of Monday, 14th May 2018

કિર્ગીસ્‍તાનમાં મેડીકલના અભ્‍યાસ માટે ગયેલો ગુજરાતનો યુવક કોમામાં સરી પડયોઃ એર એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા અમદાવાદ લાવી એપોલો હોસ્‍પિટલમાં દાખલ કરાયો

કિર્ગીસ્‍તાનઃ ગુજરાતના બનાસકાંઠાના ખેડૂત પરિવારનો યુવાન ૧૮ વર્ષીય વિરેન્‍દ્રસિંહ રાજપૂત કિર્ગીસ્‍તાનમાં ગયા વર્ષે ૨૦૧૭ની સાલમાં મેડીકલના અભ્‍યાસ માટે ગયો હતો. જયાં થોડા દિવસ પહેલા અચાનક તેની તબિયત લથડતા કોમામાં જતો રહેતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.

આથી મેગ્નેશિયા પ્રા.લી.ના શ્રી શેખર દવે તથા શ્રી વણાજી રાજપૂત આ વિદ્યાર્થીને એર એમ્‍બ્‍યુલન્‍સમાં અમદાવાદ લઇ આવ્‍યા હતા. તથા એપોલો હોસ્‍પિટલમાં યુવકને દાખલ કરાવી દીધો હતો.

યુવકના પરિવારને મદદરૂપ થવા સ્‍થાનિક રાજપૂત પરિવારે ૩૦ લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરી દીધો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)