એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th April 2018

‘‘લેસન ફોર ડેઇલી લાઇફ ફ્રોમ રામાયણ, ગીતા, ગણેશ, એન્‍ડ શિવા'' : યુ.એસ.ના રાધા ગોવિંદ ધામ, તારજાના, કેલિફોર્નિયા મુકામે ૧૭ એપ્રિલથી ર૦ એપ્રિલ ર૦૧૮ દરમિયાન સુશ્રી સિધ્‍ધેશ્વરી દીદીજીના વ્‍યાખ્‍યાનનો લહાવો : તમામા માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયા :  યુ.એસ.માં રાધા ગોવિંદ ધામ, પપ૩૦, ડોના એવ. તારજાના કેલિફોર્નિયા મુકામે ૧૭ એપ્રિલથી ર૦ એપ્રિલ-ર૦૧૮ દરમિાયન ‘‘લેસન ફોર ડેઇલી લાઇફ'' પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

ઉપરોકત ૪ દિવસ સુધી દરરોજ સાંજે ૭.૩૦ થી રાત્રિના ૯ વાગ્‍યા દરમિયાન યોજાનારા આ પ્રોગ્રામ અંતર્ગત ૧૭ એપ્રિલના રોજ લેસન ફોર ડેલી લાઇફ ફ્રોમ રામાયણ, ૧૮ એપ્રિલના રોજ ફ્રોમ ગીતા, ૧૯ એપ્રિલના રોજ ફ્રોમ ગણેશ તથા ર૦ એપ્રિલના રોજ લેસન ફોર ડેઇલી લાાઇફ ફ્રોમ શિવા અંગે સુશ્રી સિધ્‍ધશ્વરી દીદીજીના વ્‍યાખ્‍યાનો લહાવો મળશે જેમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે.

(10:39 pm IST)