યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ઓફ ન્યુયોર્ક મુકામે આવતીકાલ ૧૪મે મંગળવારે ''શ્રી મંગલ ગૃહ શાંતિ પૂજા તથા અભિષેકમ''
ન્યુયોર્કઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ઓફ ન્યુયોર્ક, ૧૬૧૬, હિલસાઇડ એવન્યુ, ટેમ્પલ સ્યુટ, ન્યુ હાઇડે પાર્ક, ન્યુયોર્ક મુકામે દર મંગળવારે શ્રી મંગલ ગૃહ શાંતિ પૂજા યોજાય છે. જે આવતીકાલ ૧૪ મે ૨૦૧૯ના રોજ યોજાશે. જેનો સમય સાંજે પાંચ યોજાશે. જેનો સમય સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે. બાદમાં કલ્યાણ અંજેનયા અભિષેકમ કરાશે. મનુષ્યના જીવનમાં આવતી મુશ્કેલીઓના નિવારણ માટે તેમજ સુખ શાંતિ અને સમૃધ્ધિ મેળવવા, ઉપરાંત લગ્ન તથા પ્રેમને લગતા પ્રશ્નો હલ કરવામાં મંગળ ગૃહ શાંતિપૂજા અનેરો ફાયદો કરાવનારી નિવડે છે.
જે જન્મોત્રીમાં દર્શાવ્યા મુજબ નડતા મંગળને શાંત કરી શકાય છે.આ માટે ગૃહ શાંતિ પૂજા પ૧ ડોલર તથા ગૃહ શાંતિ હોમ ૧૫૧ ડોલર ડોનેશન દ્વારા કરાવી શકાય છે.
વિશેષ માહિતી માટે કોન્ટેક નં.(૭૧૮)૭૪૦-૯૪૦૦ દ્વારા અથવા ઇમેલ temple.navagraha@gmail.com દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.