એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th March 2019

શારજાહના દરિયામાં ડૂબી જતા ભારતીય મૂળના ૨૪ વર્ષીય યુવાનનું કરૃણ મોત

શારજાહઃ શારજાહના દરિયા કિનારે ગયેલા એક ભારતીય યુવાનનું ડૂબી જતા મોત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જો કે દરિયા કિનારે આ દરિયામાં નહીં તરવા માટે ચેતવણી આપતું બોર્ડ મુકાયું છે. પરંતુ ભારતીય મૂળનો ૨૪ વર્ષીય યુવાન ડૂબી રહ્યો હોવાની જાણ કરાતા તેને તાત્કાલિક સારવાર માટે કુવૈતની હોસ્પિટલે લઇ જવાયો હતો. જયાં તેને મૃતક જાહેર કરાયો હતો.

 

(7:34 pm IST)