એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th March 2019

સાત વર્ષ પહેલા પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયેલો ભારતીય નાગરિક મુકતઃ ૨૦૧૨ની સાલમાં ગેરકાયદે ઘુસણખોરીના આરોપસર ૭ વર્ષની જેલસજા થઇ હતી

લાહોરઃ સાત વર્ષ પહેલા એટલે કે ૨૦૧૨ની સાલમાં ભુલથી પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયેલા ભારતીય નાગરિક ગુલામ કાદિરની પાકિસ્તાનના સત્તાવાળાઓએ ધરપકડ કરી હતી. તથા તેને સાત વર્ષની જેલસજા ફરમાવાઇ હતી.

ગુલામની આ જેલસજા પૂરી થતા હવે તેને મુકત કરી ભારતના બોર્ડર સિકયુરીટી ફોર્સને સોંપી દેવાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:33 pm IST)