એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th August 2019

UAEમાં વસતા કેરળના વતનીઓ આ વર્ષે ઇદ મનાવવા વતનમાં નહીં આવી શકેઃ કેરળમાં ભારે વરસાદ તથા પૂર પ્રકોપને કારણે કોચિન આંતર રાષ્ટ્રિય એરપોર્ટ ૩ દિવસ માટે બંધ કરાયુ

દુબઇઃ ભારતના કેરળમાં ભારે વરસાદ તથા પાણીના પૂરના કારણે ૨૨ લોકોના મોત તથા ૨૨ હજાર લોકોના સ્થળાંતરને ધ્યાને લઇ કોચિન ખાતેનું આંતર રાષ્ટ્રિય એરપોર્ટ ૩ દિવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે UAEથી ઇદનો તહેવાર ઉજવવા કેરળ આવવા માંગતા ભારતીયો માટે મંુઝવણની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે UAEમાં ઇદના તહેવારોને ધ્યાને લઇ ૧૦ ઓગ.થી ૧૩ ઓગ.૨૦૧૯ દરમિયાન રજા જાહેર કરાઇ છે.

(8:44 pm IST)