એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th March 2018

વિદેશોમાંથી ભારતમાં રોકાણો માટે જંગી રકમ મોકલતા ૫૦ NRIને EDની નોટીસઃ આવકના સ્ત્રોત અંગે ખુલાસો માંગ્યો

મુંબઇઃ વિદેશોમાં સ્થાયી થયેલા તથા ભારતમાં પ્રોપર્ટી, બેન્ક FD સ્ટોક સહિતના ક્ષેત્રોમાં નાણાંનું મોટા પ્રમાણમાં રોકાણ કરતા અને નફો રળતા ૫૦ જેટલા NRIને એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટએ નોટીસ મોકલી છે જેમાં તેમણે ભારતમાં રોકામોમાટે મોકલેલા નામા કયાંથી મેળવ્યા તેની વિગતો માંગી છે.

અમુક NRI વર્ષોથી મોટી રકમ મોકલતા હોવાનો રેકર્ડ જોવા મળતા ઉપરોકત બાબતે નોટીસ મોકલી ખુલાસો માંગ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(10:34 pm IST)