News of Monday, 12th March 2018
ઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપરાશની વસ્તુઓ વેચવા મુકીઃ હિન્દુઓના ઉહાપોહથી તાત્કાલિક માફી માંગી આવી વસ્તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી
નેવાડાઃ અવારનવાર જુદી જુદી વસ્તુઓ ઉપર હિન્દુ દેવી દેવતાઓના ફોટા મુકી વેચાણ વધારવાનો પ્રયત્ન કરતી ઓનલાઇન રીટેલ વેપાર સાથે સંકળાયેલી કંપની એમેઝોનએ તાજેતરમાં ભગવાન ગણેશ તથા ઓમના સિમ્બોલવાળી વસ્તુઓ વેચાણમાં મુકતા હિન્દુઓમાં ભારે ઉહાપોહ જોવા મળ્યો હતો.
આથી યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રીરાજન ઝેડએ વાંધો ઉઠાવી હિન્દુઓની લાગણી દુભાતી હોવા અંગે કંપનીને રજુઆત કરતા આવી તમામ પ્રોડકટ વેબસાઇટ ઉપરથી હટાવી લેવાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:40 pm IST)