શ્રી દેવીના અચાનક મૃત્યુથી ધર્મા પ્રોડકશનનો પ્રોજેકટ અટકી ગયો: ફિલ્મ શિદ્દતમાં શ્રી દેવીની જગ્યા માધુરી દીક્ષિત લઇ શકે છે
મુંબઇ : શ્રી દેવીના અચાનક મૃત્યેથી ધર્મા પ્રોડકશનનો પ્રોજેકટ અટકીગયો છે. ધર્મા પ્રોડકશન હવે તેની આગામી ફિલમ શિદ્દતમાં શ્રીદેવીની જગ્યાએ માધુરી દિક્ષિતને લઇ શકે છે
મુંબઈ : શ્રીદેવી આજે હોય તો તેની આગામી ફિલ્મની તૈયારી ચાલી રહી હોત. તેમણે ધર્મા પ્રોડક્શનની એક ફિલ્મ ‘શિદ્દ્ત’નું શૂટિંગ શરૂ કરવાનું હતું. હવે એપ્રિલમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મમાં શ્રીદેવીની જગ્યા હવે માધુરી દીક્ષિત લઈ શકે છે.
શ્રીદેવી અને કરણ જોહર પહેલી વખત સાથે કામ કરવાના હતા પરંતુ હવે એવું નહીં થઈ શકે. શ્રીદેવીની અચાનક થયેલા મૃત્યુથી ‘ધર્મા પ્રોડક્શન’નો આ પ્રોજેક્ટ અટકી ગયો છે. હવે સમાચારો એવા પણ છે કે માધુરીને શ્રીદેવીની જગ્યાએ રોલ ઓફર કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મમાં સંજય દત્તની હિરોઈન હશે માધુરી. વરુણ ધવન અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન અભિષેક વર્મન કરી રહ્યા છે.
જ્યારે કરણ જોહરે જાહન્વીને પોતાના પ્રોડક્શનથી લોન્ચ કરવાનો પ્લાન કર્યો.. તેના થોડા દિવસ બાદ તે શ્રીદેવીના ઘરે ગયા અને એક પ્રોજેક્ટ માટે જોડાવની ઓફર કરી. શ્રીદેવીને રોલ સારો લાગ્યો એટલા માટે તેમણે આ ફિલ્મ માટે હા પણ પાડી હતી.