News of Tuesday, 11th February 2020
NRI ને ભારતમાં પ્રોપર્ટી ખરીદવા ઉપર બાન મુકો : દેશના તમામ નાગરિકો માટે ઘરના ઘરનું સ્વપ્ન ક્યારે પૂરું થશે ? પ્રોપર્ટીના ભાવો વધતા અટકાવવા મદ્રાસ હાઈકૉર્ટનું રાજ્ય સરકારને સૂચન
મદ્રાસ : તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટએ રાજ્ય સરકારનો ખુલાસો માંગતો સવાલ કર્યો છે જે મુજબ કેટલા નાગરિકો ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરી શકયા છે તે જણાવવા કહ્યું છે.સાથોસાથ વિદેશોમાં વસતા ભારતીયો ઉંચી કિંમતે મકાનો ખરીદતા હોવાથી વધી રહેલા પ્રોપર્ટીના ભાવોને અંકુશમાં લેવા એનઆરઆઈ માટે પ્રોપર્ટી ખરીદવા ઉપર અંકુશ મુકવાનું સૂચન પણ કર્યું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:04 pm IST)