એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 11th January 2020

પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યાનું કોકડું ગૂંચવાયું : પોલીસના મંતવ્ય મુજબ યુવકની મંગેતરએ જ હત્યા કરાવી : મંગેતર મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હોવાનો અભિપ્રાય

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યાનું કોકડું ગૂંચવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.નાનકાના સાહેબ ખાતે પથ્થરમારાના આગલા દિવસે થયેલી શીખ યુવકની હત્યા મામલે દેશ વિદેશોમાં ભારે ઉહાપોહ થયા બાદ સ્થાનિક પોલીસે કરેલી તપાસના અહેવાલમાં જણાવાયા મુજબ ખુદ યુવકની મંગેતરે ભાડુતી માણસોને સુપારી આપી હત્યા કરાવી હતી.બંનેના લગ્ન એકબીજાની સંમતિથી થવાના હતા તેમજ બંને એકબીજાને પ્રેમ પણ કરતા હતા.

પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવાયા મુજબ સગાઇ થયા બાદ યુવતીને  એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો  તથા તેની સાથે શાદી કરવા માંગતી હતી પરંતુ શીખ યુવક સાથે 28 જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેણે પોતાના મંગેતરની હત્યા કરાવી નાખી હતી યુવતીની માતા શીખ છે અને પિતા હિન્દૂ છે.તથા 25  વર્ષીય યુવક 6 વર્ષ મલેશિયામાં રહ્યા પછી પાકિસ્તાન આવ્યો હતો.પોલીસે 18 વર્ષીય મંગેતરની ધરપકડ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:59 pm IST)