News of Saturday, 12th October 2019
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેં.૨૦૧૯ના રોજ કરતારપુર કોરિડોર ખુલ્લો મુકશેઃ શીખ યાત્રાળુઓ વિઝા વિના પાકિસ્તાનના કરતારપુર મુકામે જઇ શકશેઃ કેન્દ્રીય મંત્રી સુશ્રી હરસિમરત કૌરએ ટિવટર દ્વારા કરેલી ઘોષણાં
પંજાબઃ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેં. ૨૦૧૯ના રોજ ભારતથી કરતારપુર જતો કોરિડોર ખુલ્લો મુકશે. આ કોરિડોર ભારતના ગુરદાસપુરના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સાહિબ સાથે જોડશે.
આ કોરિડોરથી ભારતીય શીખ યાત્રાળુઓ વિઝા વિના પાકિસ્તાન જઇ શકશે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરએ ટિવટરના માધ્યમથી આ જાણકારી આપી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:58 pm IST)