એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th September 2018

''ગીતા જ્ઞાન'': અમેરિકામાં સનાતન ધર્મ મંદિર, નોર્વાક કેલિફોર્નિયાના ઉપક્રમે ૧૨ તથા ૧૩ સપ્ટેં.ના રોજ બ્રહ્માકુમારી સુશ્રી ઉષા દીદીનું હિન્દીમાં વ્યાખ્યાન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સનાતન ધર્મ મંદિર ૧૫૩૧૧, પાયોનિયર Blvd, નોર્વાક, કેલિફોર્નિયાના ઉપક્રમે ૧૨ તથા ૧૩ સપ્ટેં બુધવાર તથા ગુરૃવારના રોજ બ્રહ્માકુમારી સિસ્ટર સુશ્રી ઉષા દીદીનું 'ગીતા'વિષય ઉપર વ્યાખ્યાત યોજાશે.

રાજયોગ ટીચર સુશ્રી ઉષા દીદીના ગીતા જ્ઞાન વિષેનું પ્રવનચ હિન્દીમાં થશે. જેનો સમય બંને દિવસ સાંજે ૫-૩૦ થી રાત્રિના ૮-૩૦ દરમિયાન રાખવામાં આવ્યો છે. વિશેષ માહિતિ માટે કોન્ટેક નં.(૩૨૩)૯૩૩-૨૮૦૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:16 pm IST)