એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 13th March 2019

અમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ ઇમિગ્રેશન સેન્ટરમાં રખાયેલા વિદેશીઓમાં રોગચાળો : લાંબા સમયનો સહવાસ ગંદકી અને ભીડના કારણે વાઇરલ ઈંફેક્શન : કુલ 47 હજાર વસાહતીઓ પૈકી 2200 જેટલા રોગચાળાના શિકાર બન્યા

વોશિંગટન : અમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ ઇમિગ્રેશન સેન્ટરમાં રખાયેલા વિદેશીઓમાં રોગચાળો જોવા મળી રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. લાંબા સમયનો સહવાસ ગંદકી અને ભીડના કારણે વાઇરલ ઈંફેક્શન જોવા મળેલ છે.હાલમાં કુલ 47 હજાર વસાહતીઓ પૈકી 2200 જેટલા  રોગચાળાના શિકાર બન્યા હોવાનો અહેવાલ છે.આ વસાહતીઓને પૂરતી મેડિકલ સારવાર ન મળતી હોવા અંગે પણ ટીકા થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:35 pm IST)