News of Tuesday, 9th October 2018
GOPIOનું આગામી અધિવેશન ૧૯ તથા ૨૦ જાન્યુ.૨૦૧૯ દરમિયાન વારાણસી મુકામેઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ઉદઘાટન કરશે
યુ.એસઃ ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)''નું આગામી અધિવેશન ૧૯ તથા ૨૦ જાન્યુ ૨૦૧૯ દરમિયાન ભારતના ઉત્તરપ્રદેશમાં આવેલા વારાણસી મુકામે મળશે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ કરશે. તેવું GOPIO પ્રેસિડન્ટ શ્રી સન્ની કુલાથકલ તથા શ્રી સુનિલ રાવલએ જણાવ્યું છે આ માટે તેઓએ સ્થળની પસંદગી શરૃ કરી દીધી છે. જે અંગે વિશેષ માહિતિ હવે પછી પ્રસિધ્ધ થશે. તેવું GOPIO ન્યુઝ દ્વારા જાણવા મળે છે.
(9:01 pm IST)