કાશ્મીરમાં વસતા લોકો માટે સંદેશા વ્યવહાર ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક દૂર થવો જોઇએઃ માનવ અધિકારોની રક્ષા થાય તેમજ ધાર્મિક સ્વાતંત્ર્ય જળવાઇ રહે તે માટે ભારત સરકાર ઉપર દબાણ લાવવું જરૃરીઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ સહિતના લો મેકર્સની સેક્રેટરી ઓફ સ્ટેટ સમક્ષ રજુઆત
વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ સહિત અન્ય લોમેકર્સએ સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓને વિનંતી કરી ભારતના કાશ્મીરમાં લોકોના સંદેશા વ્યવહાર ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવે તેવો અનુરોધ ભારત સરકારને કરવા વિનંતી કરી છે.
તેમણે તથા તેમની સાથેના અન્ય લો મેકર્સએ જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં વસતા લોકોના માનવ અધિકારોની પણ રક્ષા થતી નથી. જે લોકશાહીના મૂલ્યોના ભંગ સમાન છે. તેથી આ માટે તેમણે ભારત સરકાર ઉપર દબાણ લાવવું જોઇએ. કારણકે ભારત અને અમેરિકા બંને લોકશાહી દેશો છે. તથા બંને વચ્ચે સારા સંબંધો છે.
તેમણે નજરકેદમાં રખાયેલા લોકોને પણ મુકત કરવાની હિમાયત કરી છે. તેમજ કાશ્મીરના લોકોના ધાર્મિક સ્વાતંત્ર્ય માટે પણ ભલામણ કરી છે. ભારત સરકારે હજારો લોકોને વિનાકારણ બંધનમાં રાખ્યા છે.
તેમણે ઉમેર્યુ હતું કે ભારતનો ઇતિહાસ ધાર્મિક સ્વાતંત્ર્યનો છે તે ભૂલવું ન જોઇએ. તેવું ફય્ત્ પલ્સ દ્વારા જાણવા મળે છે.